અરવલ્લીમાં માતા-પુત્રનો મૃતદેહ મળતાં પંથકમાં ચકચાર

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લીનાં બાયડ તાલુકાનાં હઠીપુરા ખારી ગામેથી 23 નવેમ્બરનાં રોજ એક મહિલા અને એક બાળકનો એમ બે મૃતદેહ મળી આવ્યા હતા. આ શંકાસ્પદ મોત અંગે બનાવની જાણ થતા સાઠંબા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે મૃતદેહ માતા અને પુત્રનો હોવાનું ખુલતા ચકચાર મચી ગયો છે. ગત મંગળવારના રોજ બાયડના હઠીપુરા ખારી ગામ પાસેથી મળી બે અજાણ્યા લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જેમની ઓળખ થતા બે મૃતદેહ જેમાં 51વર્ષીય માતા જમનાબેન ગામીત અને 12 વર્ષીય પુત્ર આલોક ગામીતનાં હોવાનું સામે આવ્યું છે. હઠીપુરા ખારી ગામેથી મળી આવેલો મૃતદેહ માતા અને પુત્રનો છે. સાઠંબા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરતા જેમના મૃતદેહ મળ્યા છે.

આ માતા-પુત્ર તાપી જિલ્લાનાં ખેરવાણ ગામનાં હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું . પોલીસ દ્વારા તપાસ કરતા મળી આવેલા બંને મૃતદેહોની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આ મૃતદેહો અહીં કેવી રીતે આવ્યાં અને કોણ કેવી રીતે અહીં આ મૃતદેહ ફેંકી ગયુ છે તે દિશામાં પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરાઇ છે ગુનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસની પાંચ ટીમો આ ભેદ ઉકેલવામાં કામગીરી કરી રહી છે. રાજ્યમાં દરરોજ આવા ગુનાહિત કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે ગુનેગારોને કોઇનો ડર નથી તેવી રીતે તેઓ બેખોફ હરકતો કરી રહ્યાં છે આ મામલે રાજ્ય પોલીસ અધિકારીઓ પણ ગંભીર પગલાં લેવા તૈયાર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.