પુંજાપુરમાં ધોરણ 11માં ભણતાં છાત્રની હત્યાથી ચકચાર
બાયડના પુંજાપુરમાં ગુરુવાર રાત્રે 15 વર્ષીય કિશોરીના ઘરની પાછળના ભાગે ખેતરમાં લોહીલુહાણ હાલતમાં લાશ મળતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પુંજાપુરમાં ગુરુવાર રાત્રે 8 વાગે સચિન પ્રવિણભાઈ પગી (15) જમવા બેઠો હતો. ત્યારે કોઈનો ફોન આવતાં તે ઘરની પાછળના ભાગે આવેલ ખેતરમાં ગયો હતો.
મોડે સુધી પરત ન ફરતાં પરિવારે તેના મોબાઇલ ઉપર સંપર્ક કરતાં મોબાઈલ બંધ આવતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન મોડેથી સચિન લોહીલુહાણ હાલતમાં ખેતરમાંથી મળતાં પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તપાસ કરતાં માથાના ભાગે બોથડ પદાર્થથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.