મોડાસાની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ત્રણ કોરોના દર્દીઓના મોત
રખેવાળ ન્યુઝ મોડાસા
અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જાેવા મળ્યો છે. મોડાસાની કોવિડ હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા ત્રણ કોરોના દર્દીઓના મોત થયા હતા .મોડાસા સ્મશાન ગૃહમાં એક નહીં બે નહીં પરંતુ ત્રણ મૃતદેહની અંતિમ વિધિ કરાતા લોકો માં ફફડાટ ફેલાયો છે. મોડાસા ના સ્મશાન ગૃહ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા પીપીઇ કીટ પહેરી કોવિડ ગાઈડલાઈન મુજબ મૃતકો ની અંતિમ વિધિ કરાઈ હતી. એક સાથે ત્રણ મૃતદેહ ને સ્મશાન સળગતા લોકો જાેતા રહ્યા હતા. અરવલ્લીમાં કોરોનાની સ્થિતિ સામે લોકોમાં ડર નો માહોલ ફેલાયો છે. ત્યારે અરવલ્લી આરોગ્ય વિભાગ સાચા આંકડા જાહેર ન કરતું હોવાની શંકા પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે તંત્ર કોરોના પોઝિટિવ અને મોત ના સાચા આંકડા જાહેર સાચા આંકડા જાહેર નહીં કરે તો લોકો બેફિકર થઈ કોરોના ને આમંત્રણ આપશે ત્યારે તંત્ર સાચા આંકડા જાહેર કરે તે જરૂરી છે.
Tags Banaskantha corona Gujarat india