શામળાજી ખાતે શિક્ષણમંત્રીની ઉપસ્થિતીમાં આદિવાસી દિવસ ઉજવાયો
આજે વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત અરવલ્લી જિલ્લાના ભિલોડાના શામળાજી ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ સહીત અગ્રણીઓ અને જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારીઓ તેમજ આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શિક્ષણમંત્રીએ રાજ્યના તમામ લોકોને આ રાષ્ટ્રીય પર્વમાં રાજનીતિ હોઈ ના શકે તેવું જણાવતાં રાજકીય પાર્ટીઓને પક્ષાપક્ષીથી દૂર રહી આન બાન શાન સાથે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓને પ્રમાણપત્રો પણ એનાયત કરાયા હતા