શામળાજી ખાતે શિક્ષણમંત્રીની ઉપસ્થિતીમાં આદિવાસી દિવસ ઉજવાયો

અરવલ્લી
અરવલ્લી

આજે વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત અરવલ્લી જિલ્લાના ભિલોડાના શામળાજી ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ સહીત અગ્રણીઓ અને જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારીઓ તેમજ આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શિક્ષણમંત્રીએ રાજ્યના તમામ લોકોને આ રાષ્ટ્રીય પર્વમાં રાજનીતિ હોઈ ના શકે તેવું જણાવતાં રાજકીય પાર્ટીઓને પક્ષાપક્ષીથી દૂર રહી આન બાન શાન સાથે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓને પ્રમાણપત્રો પણ એનાયત કરાયા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.