અરવલ્લી બાયડના હઠીપુરા પાસેથી માં-દિકરાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના હઠીપુરા પાસે આવેલા ખારી ગામના તળાવ નજીક ઝાડી ઝાંખરામાંથી મંગળવારે એક મહિલા અને કિશોરના વિક્રુત હાલતમાં મૃતદેહો મળી આવતાં પંથકમાં ચકચાર અને ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં સાઠંબા પોલીસે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઘટનાની ગંભીરતા જોતાં ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ કરતાં મોડાસા વિભાગના ડીવાયએસપી ભરત બસિયા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહો જ્યાંથી મળ્યા તે ઘટના સ્થળે મુલાકાત લીધા પછી ડીવાયએસપી ભરત બસિયાએ જણાવ્યું હતું કે, ઝાડી ઝાંખરા અને કાંટાળા તેમજ માનવ વસ્તીથી દૂર હઠીપુરા ગ્રામ પંચાયતના પેટાપરાં ખારી ગામની સીમમાં મળી આવેલા મૃતદેહો પ્રાથમિક દ્રષ્ટિએ માતા-પુત્ર હોવાનું જણાઈ આવે છે
આ સ્થળ માનવ વસ્તીથી ઘણું દૂર આવેલું છે આવા અવાવરૂ વિસ્તારમાં તળાવની પાસેથી બંનેની હત્યા કરી લાશ ફેકી દેવાઇ છે. અરવલ્લી જીલા પોલીસની વિવિધ એજન્સીઓ એ વધુ તપાસ હાથ ધરતા મૃતક મહિલા અને કિશોર વ્યારા જિલ્લાના ખેરવાણ ગામના વતની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે માતાનું નામ જમનાબેન ગામીત(ઉં.વ.51) હોવાનું જાણવા મળ્યું છે પુત્ર નું નામ આલોક રેશ્માભાઈ(ઉં. વ. 12)હોવાનું જાણવા મળ્યું છે.