ભરૂચ / નગરપાલિકાના ટ્રેક્ટરે અડફેટે લેતા બાઇક પર જઇ રહેલા બે લોકો ઇજાગ્રસ્ત, અધિકારીએ કહ્યુ: ‘અમારૂ ટ્રેક્ટર નથી’

ગુજરાત
ગુજરાત

વડોદરાઃ ભરૂચ નગરપાલિકાના ટ્રેક્ટરે દુધધારા ડેરી પાસે બાઇક પર જઇ રહેલા બે લોકોને અડફેટે લીધા હતા. જેથી બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે ભરૂચ નગરપાલિકાના મોટર વિભાગના અધિકારી મયંક આચાર્યએ જણાવ્યું હતું કે, આ ટ્રેક્ટર નગરપાલિકાનું નથી, પોલીસથી બચવા માટે ટ્રેક્ટર ચાલકો નગરપાલિકા લખી દેતા હોય છે, પણ કાયદેસર રીતે અમારૂ ટ્રેક્ટર નથી. આરટીઓમાં આ ટેક્ટર રાજેશ વસુનિયાના નામે નોંધાયેલું દર્શાવે છે અને અને ટ્રેક્ટર અનફીટ હોવાનું પણ બતાવે છે.4 દિવસ પહેલા 2 વિદ્યાર્થીઓ નગરપાલિકાના ટેન્કરની અડફેટે મોતને ભેટ્યા હતાઉલ્લખેનિય છે કે, ભરૂચના લિંક રોડ પર શનિવારે નગરપાલિકાના ટેન્કર ચાલકે સાયકલ પર જઇ રહેલા નારાયણ વિદ્યાલયના 2 વિદ્યાર્થીઓને ટક્કર મારી હતી. જેમાં જયરાજ ચૌહાણ નામના એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે. જ્યારે જિયાન યાદવ નામના વિદ્યાર્થીનું રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું. નગરપાલિકાનું આ ટેન્કર અનફિટ હોવાનું પણ બહાર આવ્યું હતું. જોકે આ ટ્રેક્ટર નગરપાલિકાનું ન હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.