દીઓદર તાલુકાના ફોરણા ગામના વતની પ્રકાશભાઈ કેલાભાઈ પરમાર જેઓ મજુરી કામ કરતા હતા. આજરોજ દીઓદર રેલ્વે ફાટક પાસે બપોરના સમય દરમ્યાન પસાર થયેલ માલગાડી નીચે પડતું મુકી મોતને વ્હાલુ કરેલ. આ અંગેની જાણ આજુબાજુના લોકોને થતાં લોકોએ રેલ્વે પોલીસને જાણ કરેલ રેલ્વે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી વાલીવારસોને જાણ કરેલ તેમજ લાશને પી.એમ.માટે ખસેડેલ.