થરાદ ની મુખ્ય કેનાલ ડેલ પુલ પર ગમખ્વાર અક્સમાત નીપજ્યો એક નું મોત એક ઘાયલ
આજે થરાદ ની મુખ્ય કેનાલ પાસે બાઇક અને પીક્પ ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં બાઇક સવાર નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અનૈ એકને ગંભીર ઇજાઓ થતાં થરાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
બનાવની વિગત મુજબ આજે સવારે ડેલ નજીક કેનાલ પર બાઇક લઇને ધરાધરા ગામના બે યુવનો ડેલ ગામે નમૅદા કેનાલના પુલ નજીક પીક્પ ગાડી સાથે અથડાતા બાઇક પર સવાર પટેલ લાલજીભાઈ નું મોત થયું હતું અને બાઇક પર પાછળ બેઠેલા રૂડાભાઇ જે કેનાલ માં ધડાકા સાથે પછડાયા હતા તેમને ગંભીર ઇજાઓ થતાં થરાદ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા લાશ ને પીએમ અથૅ થરાદ ની સરકારી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી ઘટના ની જાણ થતાં પરીવાર જણો કેનાલ પર દોડી આવ્યા હતા કુટુંબમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી