નાગરિકતા મુદ્દે CM રૂપાણીએ વિધાનસભા ગૃહમાં કર્યો મોટો ખુલાસો, ‘મારો જન્મ બર્મા થયો છે પણ..

ગુજરાત
ગુજરાત

આજે ગુજરાત વિધાનસભાનું એકદિવસીય સત્ર યોજવામાં આવ્યું હતુ જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકતા મુદ્દે અમિત ચાવડાએ ટિપ્પણી કરી હતી. અમિત ચાવડાએ ટિપ્પમીમાં જણાવ્યું હતું કે, બર્મામાં જન્મેલા આજે રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. ત્યારે આ ટિપ્પમી પર સીએમ વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, હું ભારતીય નાગરિક છું.
 
વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં ખુલાસો કર્યો હતો કે, મારો જન્મ બર્મામાં થયો હતો. પણ મારો જન્મ થયો ત્યારે મારા માતા-પિતા ભારતીય પાસપોર્ટ ધરાવતા હતા. એટલે હું ભારતીય નાગરિક જ છુ. જન્મ બાદના બે વર્ષમાં જ હું ગુજરાત પરત આવી ગયો હતો, એટલે હું ભારતીય નાગરિક જ છું.
 
અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગૃહમાં એક પોસ્ટર બતાવ્યુ હતું. જીગ્નેશ મેવાણીએ વિધાનસભા ગૃહમાં કાયદાની નકલ ફાળી હતી. ત્યારે જીગ્નેશ મેવાણીને વિધાનસભાના અધ્યક્ષે ઉધડો લીધો હતો, અને કહ્યું હતું કે, તમને વિધાનસભાની ગરીમાનુ ભાન નથી. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી ઉભા થયા અને પોતાની નાગરિકતા વિશે ખુલાસો કર્યો હતો.
 
ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી પર પ્રહાર કર્યા છે. મેવાણીએ જણાવ્યું કે, મ્યાનમાર (બર્મા)થી આવનાર રુપાણી સાહેબ પહેલા પોતાના પરિવારની નાગરિક્તા સિદ્ધ કરનારા દસ્તાવેજ ગુજરાતની પ્રજાને દેખાડે. જે બાદ ગુજરાતના સાડા ૬ કરોડ લોકોને આ કાયદા અંતર્ગત નાગરિક્તા સિદ્ધ કરવા માટેના દસ્તાવેજ માંગે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.