ચાલુ વર્ષે બનાસકાંઠા જીલ્લામાં બિલકુલ વરસાદ ઓછો થવાથી પાણીની તીવ્ર અછત સર્જાઈ છે.સિંચાઇના અભાવે ખેડૂતોનો પાક બળવાની સ્થિતિ પર હતો ત્યારે સિપુ ડેમમાંથી કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોના પાક નિષ્ફળ થતાં બચી ગયા છે અને ખેડૂતોમાં હરખની લાગણી છવાઈ ગઈ છે.ધાનેરા અને ડીસા તાલુકાનાં અનેક ગામોને તેનાથી સિંચાઇનો લાભ મળશે.