લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજીનું નિધન, કિડનીની બીમારીના કારણે ૧૦ ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ હતાં

લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજીનું નિધન, 
કિડનીની બીમારીના કારણે ૧૦ ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ હતાં
 
કોલકાતાઃ લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજીનું નિધન થઈ ગયું છે. તેમને કિડનીની બીમારીના કારણે કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તબિયત નાજૂક હોવાના કારણે તેમને ૧૦ ઓગસ્ટથી કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
 
ચેટરજી દેશના સૌથી લાંબા સમયથી સાંસદ રહેલા નેતાઓમાં સામેલ છે. તેઓ ૧૦ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. ૨૦૦૪થી ૨૦૦૯ સુધી લોકસભામાં સ્પીકર રહ્યા છે. ચેટરજી ૧૯૬૮માં માકપા સાથે જોડાયા અને જુલાઈ ૨૦૦૮માં તેમને પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. ત્યારે માકપાએ ભારત-અમેરિકા સિવિલ ન્યૂક્લિયર ડીલના મુદ્દા પર યુપીએ સરકાર પાસેથી સમર્થન પરત લઈ લીધું હતું. આ દરમિયાન ચેટરજીએ લોકસભા સ્પીકર તરીકે રાજીનામું આપવાની ના પાડી હતી.
 ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે રવિવારે સવારે ડાયાલિસિસ દરમિયાન ચેટરજીને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારપછી તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
 
ચેટરજીની તબિયત છેલ્લાં કેટલાક મહિનાઓથી ખરાબ હતી. જુલાઈમાં તેમને હેમોરેજિક સ્ટ્રોક પછી ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે પણ ૪૦ દિવસ સુધી તેમની સારવાર ચાલી હતી. ૬ ઓગસ્ટે જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.