રવિવાર મોડી રાત્રે વડગામના મેમદપુર-પેપોળ માર્ગમાં બે યુવકો બાઈક લઈ જઈ રહ્યા હતાં.જ્યાં બાવળનું ધરાશાયી થયેલ વૃક્ષ સાથે રોડ વચ્ચે બાઈક અથડાતાં અરૂણભાઈ લાખાભાઈ ભૂતડીયા (રહેવાસી મેપડા- ઉ.વર્ષ રપ આશરે) નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કિરીટભાઈ કંકોદીયા ઉ.વર્ષ રપ ને ગંભીર ઈજાઓ થતાં વડગામ રેફરલ હોસ્પટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પાલનપુર રીફર કર્યા હતાં. તેવું વડગામ ૧૦૮ ઈમરજન્સી સેવાના સુત્રોએ જણાવ્યું હતું.પેપોળ નજીક મેમદપુર તરફ ચક્રાવાતની કારણે રોડ વચ્ચે ધરાશાયી થયેલ બાવળના વક્ષ સાથે બાઈક સવાર કિરિટભાઈ કંકોડીયા, અરૂણભાઈ ભૂતડીયા અથડાતાં અરૂણભાઈનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કિરીટભાઈ કંકોડીયાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.