વડગામના મુક્તેશ્વર જળાશયની સાઇડે ગતરોજ મગરમચ્છ ટહેલવા નીકળતાં ડેમના નાયબ કાર્યપાલક ઇજનેરે પ્રવાસીઓને સતર્ક રહેવા અનુરોધ કર્યો છે. ગરમીની શરૂઆત થતાં જ જળાશયમાં રહેતાં મગરમચ્છ દેખા દેતાં ભયનો માહોલ સર્જાયો છે. ડેમ સાઇટમાં ફરજ પરના કર્મચારીઓ જી.એસ.એફ.ટી.ના જવાનો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જા કે, મગરને દેખવા કૂતુહલવશ લોકોના ટોળેટોળા ઉમટી પડે છે.