શંખલપુરઃ ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી, ૨૫ દીકરીઓના વધામણાં
બેચરાજી તાલુકાના શંખલપુર ગામની અનુપમ પ્રાથમિક શાળામાં 71મો ગણતંત્ર દિવસ નિમિત્તે દીકરીને સલામ દેશને નામ વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં દેશભક્તિ સાથે દીકરીના જન્મને વધારવાનો મેસેજ પણ આપવામાં આવ્યો હતો. દરેક સમાજમાં આજે દીકરીઓની સંખ્યા ચિંતાજનક હદે ઘટી રહી છે. જેને લઇ લગ્ન સહિતની સામાજીક વ્યવસ્થાઓ તુટવા લાગી છે.સમાજમાં બેટીબચાવો-બેટીવધાવોનો મેસેજ આપવા શંખલપુર પ્રાથમિક શાળા દ્રારા 26મી જાન્યુઆરી નિમિત્તે છેલ્લા એક વર્ષમાં જન્મેલી 25 દીકરીઓ તેમજ તેમની માતાઓનું ગુલાબના ફુલથી વધામણા કરાયા હતા. શાળા પરિવાર તેમજ ગ્રામ પંચાયત દ્રારા દરેક દીકરીને સન્માનપત્ર તેમજ જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન બહુચરાજી દ્રારા રમકડાં કીટ અર્પણ કરાઇ હતી.