બનાસકાંઠામાં તીડનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ગઇકાલે કોંગ્રેસના ડેલિગેશને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેને લઇ ગત મોડી સાંજે બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાંગલે પણ લાખણી પંથકમાં પહોંચ્યા હતા. જ્યા તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ ખેડુતોની વેદનાઓ સાંભળી હતી. રવિ સિઝનમાં ખેડુતોને થયેલા પારાવાર નુકશાનીનું જાતે તપાસ હાથ ધરી અને સરકાર સુધી આ વાત પહોંચાડી ઘટતી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.
બનાસકાંઠા જીલ્લાના વાવ-સુઇગામ-ભાભર-દિયોદર અને લાખણી પંથકમાં તીડ આક્રમણથી રવિ સિઝનને ભારે નુકશાન થયુ છે. જેને લઇ ગઇકાલે કોંગ્રેસના ડેલિગેશને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ મોડી સાંજે જીલ્લા કલેક્ટર લાખણી પંથકમાં તપાસ કરવા પહોંચ્યા હતા. જ્યાં ખેડુતએ તેમને રવિ સિઝનના પાક નિષ્ફળ ગયા હોવાનુ જણાવતા તેમણે સરકાર સુધી વાત પહોંચાડી ઘટતુ કરવાની વાત કરી હતી.
લાખણી પંથકના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચેલા જીલ્લા કલેક્ટર સંદીપ સાંગલેની સાથે જીલ્લા વિકાસ અધિકારી-અજય દહીંયા, લાખણી મામલતદાર સહિતના જોડાયા હતા. તંત્ર દ્રારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત તો લીધી પરંતુ સરકાર તાત્કાલિક જરૂરી સર્વે કરાવી અને સહાયનું વિતરણ કરે તેવી ખેડુતોમાં માંગ ઉઠી છે.