ડીસા ખાતે શહેરના સહુથી પ્રાચીન રામજી મંદિરથી ૨૧મી શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. શોભાયાત્રાના ૬ કિલોમીટર લાંબા રુટ પર ભક્તોનું સૈલાબ ઉમટી પડ્યું હતું. અષાઢી બીજે દેશભરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યા પર નીકળ્યા હતા ત્યારે ડીસામાં પણ દર વર્ષની જેમ સુભાષ સેવા સમિતિ દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવામાં આવે છે. ત્યારે ડીસા શહેરના રામજી મંદિરથી નીકળેલી ભગવાન જગન્નાથની ૨૧મી રથયાત્રા ધામધૂમ પૂર્વક નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. શહેરના પ્રાચીન રામજી મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા રિસાલા મંદિરથી એસ.સી.ડબલ્યુ. ચાર રસ્તા,અંબિકા ચોક થઈ ભગવાનના મોસાળ સાઈબાબા મંદિર પહોંચી હતી. જ્યાં વિશ્રામ કરીને ભગવાન જગન્નાથની શોભાયાત્રા નિયત રુટ પર આગળ વધી હતી.ત્યારબાદ ફુવારા સર્કલ પહોંચી હતી. અને ત્યારબાદ નિજ મંદિર પરત ફરી હતી. આ શોભાયાત્રામાં લાઈવ ડી.જે., ઘોડા, ઊંટલારીઓ, આનંદ ગરબા મંડળીઆૅ, ભજન મંડળીઓ, અખાડાઆૅ, સહિત વિવિધ ઝાંખીઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.