અકસ્માત જોતા જ સીએમ રૂપાણીએ રોકાવી દીધો કાફલો, કરી ઇજાગ્રસ્તોની મદદ

અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર રાયસણ ગામ પાસે રાત્રે 10 વાગ્યાની આસપાસ પુરવઠા વિભાગની કાર પલ્ટી મારી ગઈ હતી. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ લગ્ન પ્રસંગામાં હાજરી આપવા જઇ રહ્યા હતા. અકસ્માત થયો હોવાનું જોતા જ સીએમ રૂપાણીએ કાફલો રોકાવ્યો હતો અને કારમાંથી ઉતરી અકસ્માતગ્રસ્ત કાર પાસે ગયા હતા. અને ઇજાગ્રસ્તોનાં ખબરઅંતર પુછ્યા હતા.
 
ઉલ્લેખનીય છે કે આ અક્સમાતમાં કોઈ જ જાનહાનિ થઈ નહોતી. આ ઘટનાનાં ફૉટો વાયરલ થઈ રહ્યા છે. આ પહેલા પણ 2017માં જ્યારે સીએમ રૂપાણી કાફલો લઇને જઈ રહ્યા હતા રે પણ એક અકસ્માતને જોતા કાફલો થંભાવી દીધો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી કરાવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.