રાધનપુરના કમાલપુરથી ગુલાબપુરાનો પાંચ કિ.મી.નો ઉબડખાબડ રોડ બનાવવા માંગ

 
 
 
                                         વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭ ના પૂરના કારણે પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના ગામ કમાલપુરથી ગુલાબપુરા રોડ (આશરે પાંચ કિલોમીટરનો) વાહન વ્યવહારને લાયક રહ્યો નથી. વર્ષ ૨૦૧૭ ના પૂરમાં સદર રોડ અતિશય ક્ષતિગ્રસ્ત થતાં વાહન વ્યવહારને અનુકૂળ બનાવવા જે તે કોન્ટ્રાકટરને રીપેરીંગ કરવા માટે આપેલ પરંતુ આ કામગીરી અધુરી મૂકી કામ ચલાઉ રસ્તો કરેલ અને ખોટા ખર્ચ ઉધારી રોડની પરિÂસ્થતિ અતિશય ખરાબ કરેલ છે. બાદમાં ૨૦૧૮ ના વર્ષમાં કમાલપુરથી ગુલાબપુરા રોડનું રીનોવેશન, રીપેરીંગ, પહોળીકરણ, નાળા કલ્વર્ટર, બોક્ષ કર્લ્વટર વિગેરે કામનું ટેન્ડર પણ બહાર પાડ્યું હતું. જે આજ દિન સુધી શરૂ થયું નથી. જાણવા મુજબ સદર કામ સબલેટને ફાળવી દીધું હતું પરંતુ કામ શરૂ થયું નથી. 
સદર રોડનું કામ તાત્કાલીક શરૂ કરવામાં આવે તો ચોમાસા પહેલાં પૂર્ણ થઇ શકે. આ રોડ દેલાણા, રામેશ્વર, ગુલાબપુરા, છાણીયાશર અને ગોતરકાના ગામ લોકોના વાહન વ્યવહાર માટે તથા દર્દીની સારવાર અર્થે પહોંચાડવા તથા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે તાલુકાકક્ષાએ સમયસર પહોંચવા આવશ્યક હોઇ ગુલાબપુરા ગામના અગ્રણીએ તા. ૦૪/૧૨/ ૨૦૧૮ ના રોજ ફેક્સ અને રજી. પો. એડી કરી મુખ્યમંત્રી-ગાંધીનગર અને જે તે ખાતાના અધિકારીઓને જાણ કરી છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.