અરવલ્લી : ભિલોડા તાલુકાની પાલ્લા હાઇસ્કુલમાં ગાંધી વિચારયાત્રા પૂર્વ સાંસદ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ પૂર્વ સાંસદ સાબરકાંઠા દ્વારા આયોજિત ૧૫૦ મી ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી વિચાર યાત્રા યોજવામાં આવી હતી.. તેના ભાગ રૂપે પાલ્લા હાઇસ્કુલમાં ૧૦૦ મી શાળામાં આવી શાળાના બાળકોમાં ગાંધી વિચાર અને ગાંધી મૂલ્યો પ્રત્યેની અવશક્યતા અને આજના યુગમાં તેની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના મંત્રી ભાનુભાઇ જોષી તેમજ પૂર્વ આચાર્ય બાબુભાઈ નાઈ નાનજીભાઈ કલાસ્વા તેમજ ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા આ શુભ પ્રસંગે શાળાના આચાર્ય ગજાનંદભાઈ પ્રજાપતિએ સૌને આવકારી ગાંધી મૂલ્યોને આત્મા ભાવે જીવનમાં ઉતારવાની જરૂર અને ભારતના ભાવિ માટે અને સાસ્વત મૂલ્યોને જાગૃત કરી દેશ માટે સ્વચ્છતા વ્યસમુક્તિ ફીટ ઇન્ડિયા પ્લાસ્ટિક મુક્ત ભારત જેવા ગુણો વિકસે તો આજની ગાંધી યાત્રાનું સમાપન પાલ્લા હાઇસ્કુલ થયું તે સાર્થક થાય. એવા સંકલ્પ સાથે યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ કાર્યકમનું આયોજન સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ શાળા શિક્ષક વસંતભાઈ ગોસ્વામી આભાર માન્યો હતો.
આ કાર્યકમ નું સંચાલન મહેન્દ્ર ભાઈ પંચાલે કર્યું હતું