પાલનપુરમાં જુના બે મકાનોની દિવાલ ધરાશાયી થતાં અફરા-તફરી

પાલનપુર : પાલનપુર ખાતે હનુમાનશેરી પંચાલવાસ નજીક ગતરોજ બપોરના સુમારે બે જુના મકાનોની દિવાલો એકાએક ધરાશાયી થતાં ભારે અફરા- તફરી મચી જવા પામી હતી. જોકે, કોઇને ઇજા ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.
પાલનપુરમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં ઉભા છે. નગરપાલિકા દ્વારા આ મકાન માલિકોને અગાઉ નોટિસો આપવામાં આવી છે. પરંતુ મકાનો ઉતારવામાં આવતા નથી. વરસાદ બાદ આવામકાનો ભયગ્રસ્ત બની ગયા છે. પરિણામે દુર્ઘટનાઓ સર્જાવાની ભિતી સેવાઇ રહી છે. આવી સ્થિતિમાં શહેરના હનુમાનશેરી વિસ્તારમાં પંચાલવાસ નજીક શુક્રવારે જર્જરિત બે મકાનોની દિવાલ ધરાશાયી થઇ હતી. જેના પગલે ભારે અફરા- તફરી મચી જવા પામી હતી. જોકે, કોઇ જાનહાની ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.