ઈન્ડોનેશિયામાં શુક્રવારે વિનાશક અને શક્તિશાળી ભૂકંપ આવ્યા બાદ સુલાવેસી દ્વીપ પર પાલૂ શહેરામાં સુનામીનો કહેર તૂટી પડ્યો છે. ભૂકંપના કારણે કેટલીયે ઈમારતો ભોંયભેગી થઈ ગઈ હતી. સેંકડો લાકોના મોત થયા હતા, ઈન્ડોનેશિયાની એક હોસ્પીટલમાં દુર્ઘટનાના કારણે 30 લોકાનાં મોત નિપજ્યા હતા. આ ભયંકર કુદરતી સંકટના કહેર સામે જનતા પોતાના ઘર છોડીને નાસી છે. લોકો રસ્તા પર ઘસી આવ્યા હતા.
ભૂકંપ તેમજ સુનામી વિભાગના અધ્યક્ષ રહમત ત્રિયોનોએ પુષ્ટી કરતા કહ્યુ છે કે શહેરમાં સુનામીની તેજ લહેરો આવી છે. આ ભૂકંપની તીવ્રતાને કારણે વર્ષની શરીઆતમાં લોમબોક દ્વીપ પર આવેલા ભૂકંપથી વધુ તબાહી મચી છે, જેમાં સેંકડો લોકો મર્યા છે.
અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણ વિભાગે જણાવ્યુ હતુ કે મધ્ય સુલાવેસીના ડોગ્ગાલા ગામમાં ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટર હતુ. એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલ ઇમારતોને ક્ષતિગ્રસ્ત જોઈ શકાય છે, દ્વીપમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં સેંકડો લાકો મોતને ભેટ્યા છે. ભૂકંપબાદ લોકો પોતાના ઘરબારને છોડીને નાસી રહ્યા હતા, લાંબો ટ્રાફીક સર્જાયો હતો. રસ્તાપર ચોરેતરફ ટ્રાફીકજામના દૃશ્યો સર્જાયા હતા. સુનામીની ચેતવણીબાદ લોકોએ ઉંચી ઈમારતોમાં આશ્રય લેવા કારો, ટ્રકો અને ગાડીઓની લાંબી લાઈનો લગાડી હતી. સુરક્ષા એજન્સી બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે, પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલીક મદદ અને સારવાર મોકલવામાં આવી છે.
ઈન્ડોનેશિયાની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ત્યાં અવારનવાર આવો કુદરતી પ્રકોપ જોવા મળે છે. ડિસેમ્બર 2004માં પશ્ચીમી ઈન્ડોનેશિયાના સુમાત્રામાં 9.3ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેનાથી હિન્દ મહાસાગર ક્ષેત્રમાં કેટલાયે દેશોમાં 2,20,000 લોકો મોતને ભેટ્યા હતા.