બનાસકાંઠાના તાલુકા મથક દિયોદર માં નવું માર્કેટ યાર્ડ બનનાર છે પરંતુ સ્થળને લઈ વિવાદ સર્જાયો હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો તેમ છતાં તાલુકાના વિકાસ અને ખેડૂતો ના હિતને લઈ રાજકીય અને સહકારી આગેવાનો એક થઇ ઉદ્ઘાટન સમારોહ પ્રસનગે હવનનું આયોજન કરાયું હતું પરન્તુ હવનના મન્ડપમાં અચાનક આગ લગતા અફડા તફડી મચી હતી એટલું જ નહીં આગને લઈ તાલુકાભરમાં અવનવા તર્ક વિતર્કો વહેતા થયા હતા