મોડાસા: શામળાજી નજીક આવેલા મોટા કંથારિયા ગામની એક પરિણીતાને શુક્રવારે સવારે તેના પતિએ ચરિત્ર ઉપર શંકા કરી કેરોસીન છાંટી જીવતી સળગાવી દઈ મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં મહિલા ગંભીર રીતે શરીરે દાજી જતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.બનાવ અંગે શામળાજી પોલીસે ભોગ બનનાર મહિલાના પતિ તેમજ ગુનામાં સામેલ જેઠ જેઠાણી સામે મહિલાને મારીનાખવાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોટા કંથારીય ગામના નાદર ફળીયામાં પરિવાર સાથે રહેતી પરણીતા પર તેના પતી સહિત જેઠ જેઠાણી ધ્વારા ચારિત્ર ઉપર શંકાઓં સેવતી હતી ટુ બદચલન છે અને તારું ચારિત્ર સારું નથી એવા અવારનવાર આક્ષેપો કરતા હતા સાથે મારઝૂડ ,માનસિક ત્રાસ અને શારરીક ત્રાસ આપતા હોવાથી મહિલા ભારે ત્રસ્ત બની હતી .ગઈ કાલે વહેલી સવારે મહિલાના પતી વનરાજ ભગોરા એ પત્ની મીનાક્ષી બેન ભગોરા ઉપર કેરોસીન છાંટી દિવાળી ચાપી દીધી હતી.
પોતાનિજ પત્ની ને જીવતી સળગાવી દેતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે જયારે શરીરે ગંભીર રીતે દાઝી ગયેલા મીનાક્ષી બેન વનરાજ ભાઈ ભગોરાને સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં ડોક્ટર ધ્વારા આ મહિલાની સારવાર કરવામાં આવી રહી છેશામળાજી નજીક આવેલા મોટા કંથારિયા ગામે રહેતી પરિણીતા મીનાક્ષીબેન ઉપર તેના પતિ વનરાજભાઈ ભાગોરા તેમજ જેઠ સુભાષભાઈ તેમજ જેઠાણી તારાબેને ભેગા થઈ કહેલ કે તું બદચલન છે તું સારા ચારિત્ર વાળી નથી તેવું કહી શુક્રવારે સવારે પતિ વનરાજભાઈ એ કેરોસીન છાંટી દીવાસળી ચાંપી જીવતી સળગાવી દઈ મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો જેમા મહિલા શરીરે ગંભીર રીતે દાજી જતા સારવાર માટે દાખલ કરાઈ હતી.
ઘટનાની જાણ થતા શામળાજી પોલીસે ભોગ બનનાર મહિલા મીનાક્ષીબેન ની ફરિયાદ આધારે પતિ વનરાજભાઈ તેમજ જેઠ સુભાષભાઈ તેમજ જેઠાણી તારાબેન સામે મહિલાને મારી નાખવાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અને આરોપી ને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં અઆવ્યા છેઅગાઉ પણ અરવલ્લી જીલ્લામાં મહિલા ને ડાકણ ના વહેમ રાખી જીવતી સળગાવાઈ હતી ત્યારે હજુ પણ મહિલા ઓં પર અત્યાચાર ની આવી ઘટના ઓં રોકાવાનું નામ નથી લેતી જીલ્લા માં બનતી આ ઘટના ઓં મહિલા ઓની સુરક્ષાના દાવા પોકળ સાબિત કરે છે