થરાદના કળશલવાણા ગામની એક પરિણીતા પાસે તેણીના પતીએ બે લાખ રૂપીયાની દહેજની માંગણી કરી શારિરીક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુક્યા બાદ બીજી પત્ની લાવી દિધાની તેણીએ થરાદ પોલીસમથકમાં પતિ અને સસરા સામે ફરીયાદ કરી હતી.પોલીસે અરજી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
થરાદના થરાની મમતાબેન પ્રજાપતિ નામની યુવતીના લગ્ન ૨૦૧૬ માં તાલુકાના લુવાણા (કળશ) ગામે રહેતા જવાનજી કમાજી પ્રજાપતિ સાથે સમાજના રિતરિવાજ મુજબ થયા હતા.સુખરૂપ ચાલતા સંસારમાં પતિ જવાનજી સસરાની ચડામણીથી બોર બનાવવા બે લાખ રુપીયાની માંગણી કરીને મમતાબેનને શારિરીક માનસિક ત્રાસ આપી પરેશાન કરતો હતો. એકાદ બે વખત મારકુટ કરીને કાઢી મુકતાં સમાજના માણસો વચ્ચે રાખીને સમાધાન પણ
કરાયું હતું.
તેમ છતાં પણ બે મહિના પહેલાં મમતાબેનને પહેરેલાં સોના ચાંદીના ઘરેણાં ઉતરાવી લઇ પહેરેલાં કપડે પત્નીને પિયર મુકી હવે પછી મારા ઘરે ન આવતી નહીતો તારા નાક કાન કાપી નાખીશ અને કેરોસીન છાંટી જીવતી સળગાવી મુકીશ, તું મને ગમતી નથી તેમજ મારે બીજી પત્ની લાવવી છે તેવી ધમકીઓ આપી હતી.આથી તેણીએ બુધવારે થરાદ પોલીસમથકમાં લેખિત રજુઆત કરી હતી.તેણીએ ત્યાં બે દિવસ પહેલા જ પતિએ બીજી કોઈ મહિલા સાથે લગ્ન કરી દીધા હોવાનું જણાવી પતિ જવાનજી કમાજી પ્રજાપતિ તથા સસરા કમાજી પ્રભુજી પ્રજાપતિ સામે પગલાં ભરવાની માંગણી કરી હતી.