રાજપુરના બડાપુરા વિસ્તારમાં ભૂગર્ભ ગટર કરવામાં ન આવતા પ્રજાજનોમાં રોષ

 
 
 
                               ડીસાના રાજપુર બડાપુરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ ન કરવામાં આવતા નગરપાલિકા સામે પ્રજાજનોએ રોષ વ્યકત કર્યો હતો. મળતી માહિતી મુજબ સમગ્ર ડીસામાં ભૂગર્ભ ગટરોનું કામ કરવામાં આવેલ છે જયારે બડાપુરા વિસ્તારને કેમ  બાકાત રાખવામાં આવ્યો છે આ અંગે બડાપુરાના રહેવાસીઓ નગર પાલિકામાં બે મહિના અગાઉ લેખિત રજુઆત કરેલ છતાં નગરપાલિકા દ્વારા કામ શરૂ ન કરાતાં જનતામાં નગરપાલિકા સામે રોષ વ્યાપી જવા પામ્યો છે. આ અંગે મુંમતાઝભાઈ કુરેશીએ જણાવ્યું કે આ અંગે અનેક વાર નગરપાલિકામાં લેખિત તથા મૌખિક રજુઆત કરેલ પરંતુ સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તયારે નગરપાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી રૂબરૂ મુલાકાત લઈ બડા પુરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ કરાંવી જનતાની માંગણી સંતોષે તેવી જન માંગ છે જયારે છોટા પુરા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ભૂગર્ભ ગટરનું કામ થયેલ છે પરંતુ રોડ ન બનાવતા લોકોમાં નગરપાલિકા
આભાર - નિહારીકા રવિયા  સામે રોષ ફેલાઈ જવા પામ્યો છે. ઠેરઠેર ખાડા ને લીધે દિવસ માં કેટલાય માણસો ખાડામાં પડી જાય છે આ વિસ્તારમાં મિનારા મસ્જિદ તથા ટાટવાળી મસ્જિદ તથા દેવીપૂજક નું મંદિર આવેલ છે રોડના અભાવે ધર્મ પ્રેમી જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ અંગે રહેવાસી કુરેશી નૂરઅલીએ નગરપાલિકામાં લેખિત રજુઆત કરેલ છતાં રોડનું કામ શરૂ ન કરતા જનતામાં રોષ ફેલાઈ જવા પામ્યો છે 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.