સાબરકાંઠા જીલ્લાની વર્ષો જુની માંગણીનો અંત આવવા જઈ રહ્યો છે ત્યારે હિંમતનગરથી અમદાવાદ બ્રોડગ્રેજનુ નવીનીકરણ ચાલી રહ્યુ છે તેની મુલાકાત અમદાવાદ વિભાગના જનરલ મેનેજરે મુલાકાત લીધી હતી.
અમદાવાદથી હિંમતનગર સુધી થઈ રહેલ બ્રોડગ્રેજના કામકાજનુ નિરિક્ષણ કરવા માટે જનરલ મેનેજર આવ્યા હતા અને હિંમતનગર ખાતે જે ફાટક છે તે બંધ કરવુ કે નહિ તેની વિચારણાઓ ચાલી રહી છે તે મામલે ખાસ કરીને મુલાકાત લેવામાં આવી હતી. આ ફાટક સ્ટેશનના એકદમ વચ્ચે આવે છે અને તેના માટે ફાટક વારંવાર બંધ ચાલુ થશે જેને કારણે ફાટક હટાવવાની અટકળો ચાલી રહી છે તે મામલે અગાઉ વેપારીઓએ પણ વિરોધ દર્શાવ્યો હતો ત્યારે મુલાકાત દરમિયાન જીએમ એ જણાવ્યુ હતુ કે આ ફાટક અંગે વિચારણા ચાલી રહી છે.