થરા : કાંકરેજ તાલુકાના થરા નેશનલ હાઈવે ઉપર ગતમોડી સાંજે જલારામ મંદિરેથી કઢી - ખીચડીનો પ્રસાદ લઈને ઘર તરફ પરત જઈ રહેલા લોકોને દારૂ પીધેલી હાલતમાં પુર ઝડપે આવતાં કાર ચાલકે અડફેટે લીધા હતા. જેમાં એક મહિલા તથા નાની બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે સાતથી વધુ લોકો ઘાયલ થતાં તેમને ધારપુર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
થરા નેશનલ હાઈવે ઉપર આવેલ જલારામ મંદીરે દર પુનમે કઢી - ખીચડીનો પ્રસાદ અને દર્શનનો મેળાવડો જામે છે. ત્યારે ગઈકાલે મોડી સાંજે કઢી - ખીચડીનો પ્રસાદ લેવા માટે લોકોની ભારે ભીડ જામી હતી. જેમાં પાણી પુરીની લારી ચલાવી ગુજરાન ચલાવતા ઉત્તર પ્રદેશના શ્રમીક પરિવારના લોકો દર્શન કરી પ્રસાદ લઈ પોતાના ઘર તરફ પરત જઈ રહ્યા હતા. ત્યારે થરાદ તરફથી પુર ઝડપથી આવી રહેલ. હ્યુન્ડાઈ આઈટેન કાર નં.જી.જે.૦૮.બી. એચ.૬૦૩૩ ના ચાલકે એક બે ગાયોને અડફેટે લીધા બાદ આ શ્રમીક પરીવારના દશ લોકોને અડફેટે લીધા હતા. જેમાં કમળાબેન અમરસિંહ રાઠોડ રહે.ઉત્તર પ્રદેશ નામની મહિલા તથા એક દોઢ વર્ષની નાની બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે સાત થી આઠ જેટલા વ્યÂક્તઓને ગંભીર ઈજા થતાં તેમને ધારપુર સિવિલ હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. અને કાર ચાલકને ઝડપી લેતા તે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. લોકોએ આવા નશાયુક્ત હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જનાર શખ્સ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે આવી પુછપરછ કરતાં કાર ચાલકનું નામ મોહિત રમેશભાઈ પ્રજાપતી (રહે.શિહોરી) હોવાનું જાણવા મળ્યુ હતું. આથી તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ
ધરી હતી.