પાલનપુર-અંબાજી હાઇવે પર આવેલા પાલનપુર તાલુકાના મેરવાડા ગામ નજીક ટ્રક અને એસ.ટીબસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે જાનહાની ટળી હતી.
પાલનપુર તાલુકાના મેરવાડા પાસે સાંજના સમયે હાઇવે પર પુરઝડપે પસાર થઇ રહેલી એક એસ.ટી.બસ અને ટ્રક સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. જોકે, એસ.ટી. બસમા મુસાફરો ન હોવાના કારણે જાનહાની ટળી હતી. અકસ્માતમાં બન્ને વાહનોને આગળના ભાગે ભારે નુકસાન થયુ હતુ. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા. દરમિયાન, ટ્રક ચાલકે એસ.ટી. બસનો ચાલક પીધેલો હોઈ પડેલી ટ્રકને ટકકર મારી હોવાનો આક્ષેપ કર્યો હતો.