થરાદમાંથી પસાર થતી નર્મદા કેનાલ ખેડૂતો માટે આશિર્વાદરૂપ નીવડી છે પરંતુ કેનાલમાં આપઘાતના બનાવો વધી પડતાં 'સ્યુસાઇટ પોઇર્ન્ટ પુરવાર થઇ છે ત્યારે ગઇકાલે પેસેન્જર ગાડીમાંથી ઉતરેલી એક મહિલાએ અચાનક કેનાલમાં ઝંપલાવી દીધું હતું. જેથી અન્ય પેસેન્જરોએ બૂમાબૂમ કરતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિક તરવૈયાને બોલાવી કેનાલમાં તપાસ હાથ ધરી હતી. બનાવના પગલે અરેરાટી છવાઇ છે.