પાલનપુર સ્થિત આઇટીઆઇ ખાતે બાંધકામ ચાલી રહ્યું છે. જ્યાં સેન્ટીંગનું કામ કરી રહેલો એક શ્રમિક નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતુ. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુના ડેરીરોડ પર આવેલ આઇટીઆઇ ખાતે બાંધકામ ચાલી રહ્યું છે. જ્યાં દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના રાછવા ગામના રમેશભાઇ કાનાભાઇ ચૌહાણ ત્રીજા માળે સેન્ટીંગનું કામ કરતાં હતા. તે દરમિયાન અચાનક નીચે પટકાતાં ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેમાં રમેશભાઇનું કરૂણ મોત નિપજ્યું હતુ. આ અંગે પૂર્વ પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.