જમશેદપુર: ગુરુવારે બપોરે 12.45 વાગે પ્રેમમાં પાગલ એક યુવકે કેરોસીન સળગાવીને પોતાની જાતેને આગ લગાવી દીધી છે. સાંકડી ગલીમાં તેણે પોતાની જાત પર કેરોસીન છાંટીને પોતાની જાતને આગ લગાવી દીધી હતી. તે સિન્થેટિક જેકેટ પહેરતો હતો તેથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. લોકો ત્યાં પહોંચે તે પહેલાં જ તે બેભાન થઈ ગયો હતો. ઘટના સ્થળે જ તેનું મોત થઈ ગયું હતું. પોલીસ દ્વારા તેની ઓળખની પૂછપરછ કરવામાં આવતી હતી ત્યારે સ્થાનીક લોકોએ તેની ઓળખ રવિ શર્મા તરીકે કરી હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે રવિ ત્યાં લોકોના ઘરે કામ કરતી એક છોકરીને પ્રેમ કરતો હતો. તેને પ્રેમનો અહેસાસ કરાવવા માટે તે ઉંધી-સીધી હરકતો કરતો રહેતો હતો. સાંકડી ગલીમાં તે છોકરીને પ્રેમ જતાવવા માટે ઉંઘી ગયો હતો. રવિના પિતા નંદૂ શર્મા દરજીનું કામ કરતાં હતા. ટીબીના કારણે થોડા સમય પહેલાં જ તેમનું મોત થઈ ગયું હતું. તેની મા પણ નથી. રવિના એક ભાઈએ સાત વર્ષ પહેલાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેનું તેની સાળી સાથે અફેર હતું. રવિનો એક ભાઈ જુગસલાઈમાં એક દુકાનમાં કામ કરતો હતો. તેણે પોલીસને જણાવ્યું કે, ભાઈ મોટાભાગે ઘરમાં જ રહેતો હતો.
લોકોએ જણાવ્યું કે, રવિને નશાની આદત હતી. તે મોહલ્લામાં ફરતો રહેતો હતો. કોઈની પણ પાસેથી 10-20 રૂપિયા માંગી લેતો અને નશો કરતો હતો. શંકા છે કે ઘટના સમયે પણ તે નશામાં હતો. કારણકે જે સ્થળે તેણે આગ લગાવી હતી ત્યાંથી ભાગવાનો પ્રયત્ન પણ નહતો કર્યો. આગનું નિશાન ગલીના એક મકાન ઉપર પણ જોવા મળે છે.
જુલગસાઈ પોલીસ સ્ટેશનના અધિકારી નિત્યાનંદ મહતોએ જણાવ્યું કે, યુવકની સળગીને મરવાની માહિતી મળતાં જ અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક નજરે આ આત્મહત્યાનો કેસ લાગી રહ્યો છે. શંકા છે કે યુવકે નશાની હાલતમાં પોતાની જાતને સળગાવી દીધો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.