સાંતલપુર તાલુકા ના વારાહી ગામે અસામાજિક તત્વો દ્વારા બ્રાહ્મણ પરિવાર પર હીંચકારો હુમલો કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.જે હુમલા ના વિરૂદ્ધ માં આજરોજ રાધનપુર બ્રહ્મ સમાજ દ્વ્રારા નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ આવેદનમાં જણાવ્યું હતું કે વારાહી ગામે રહેતા પરિવાર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરનારા અસામાજિક ત¥વો ને પોલીસ દ્વારા તાત્કાલિક પકડી તેમના વિરુદ્ધ માં કડક માં કડક સજા કરવામાં આવે તેવી ભુદેવોએ નાયબ કલેકટર પાસે લાગણી સાથે માગણી કરી હતી. આ આવેદનમાં અંકુરભાઈ જોશી. મુકેશભાઈ રાવલ. આનંદ ભાઈ ભટ્ટ.વિક્રમભાઈ જોશી. હરદેવભાઈ જોશી. કાનુભાઈ જોશી સહિત મોટી ભૂદેવો એ હાજરી આપી હતી.