ભાજપને છેલ્લા એક જ વર્ષમાં ૬ રાજ્યોમાં જોરદાર ફટકો પડ્યો છે. પહેલા રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તિસગઢ, પંજાબ, મહારાષ્ટ્ર બાદ છેલ્લે ઝારખંડમાં પણ ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. હવે વધુ એક રાજ્યમાં પણ ભાજપને ઝાટકો લાગી શકે છે. બિહારમાં જેડીયુ અને ભાજપના નેતાઓ એકબીજા સામે તલવાર ખેંચી રહેલા જોવા મળી રહ્યાં છે.જેડીયુ (ત્નડ્ઢેં) ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ચર્ચિત રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહત્વનું નિવેદન આપ્યું છે. પ્રશાંત કિશોરે કહ્યું કે જેડીયુએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કરતા વધુ બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ. પ્રશાંત કિશોરે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં જેડીયુ હંમેશાથી ભાજપ (મ્ત્નઁ) કરતા મોટી પાર્ટી રહી છે અને આ જ આધાર પર આગળ પણ રહેશે.તેમણે કહ્યું હતું કે, બિહારમાં જેડીયુ હંમેશાથી મોટા ભાઈની ભૂમિકામાં રહી છે. પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું કે વિધાનસભા ચૂંટણી નીતિશકુમારના ચહેરા પર લડવી જોઈએ. એટલું જ નહીં જેડીયુ ઉપાધ્યક્ષે સ્પષ્ટ કર્યું કે બિહારમાં જેડીયુની સરકાર છે. ભાજપ તેની સહયોગી પાર્ટી છે. પ્રશાંત કિશોરના આ નિવેદન પર સુશીલ મોદીએ પણ જવાબ આપ્યો. જો કે આમ છતાં નીતિશકુમારનું તો કહેવું છે કે બિહારમાં ગઠબંધનમાં બધુ ઠીક છે.પ્રશાંત કિશોરે કહ્યું કે જો ૨૦૧૦ની વિધાનસભા ચૂંટણીને જોઈએ જેમાં જેડીયુ અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી તો આ રેશિયો ૧ઃ૧ઃ૪નો હતો. જો તેમા સામાન્ય ફેરફાર પણ થાય તો પણ એવું ન બની શકે કે બંને પક્ષો સમાન સીટો પર ચૂંટણી લડે. જેડીયુ અપેક્ષાકૃત મોટી પાર્ટી છે જેમાં લગભગ ૭૦ ધારાસભ્યો છે. જ્યારે ભાજપ પાસે લગભગ ૫૦ ધારાસભ્યો છે. પ્રશાંત કિશોરના નિવેદનને જેડીયુએ યોગ્ય ઠેરવ્યું છે. જેડીયુ નેતા શ્યામ રજકે કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં જેડીયુની ભૂમિકા મોટી હશે. જો કે હજુ એ નક્કી થયું નથી. આ બાજુ ભાજપના નેતા નંદ કિશોર યાદવે કહ્યું કે પ્રશાંત કિશોર કોઈ પાર્ટીના અધિકારી નથી. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે સ્પષ્ટ કર્યું છે કે અમે બિહારમાં મળીને ચૂંટણી લડીશું. ત્યારબાદ કશું કહેવાની જરૂર નથી.નીતિશે વાત વાળી લીધીતણવા વધતા સીએમ નીતિશ કુમારે વાત વાળી લીધી હતી. તેમણે કહ્યું હતું કે, ગઠબંધનમાં બધુ ઠીકઠાક હોવાનું જણાવ્યું છે. ભાજપ-જેડીયુ વચ્ચે સંઘર્ષને લને સવાલ પર તેમણે કહ્યું કે બધુ ઠીક છે.