ડીસા : બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોનો આંતક વધી ગયો છે.ગરીબ અને જરૂરિયાત લોકોને ઊંચા વ્યાજે પૈસા આપી તગડું પઠાણી વ્યાજ વસુલાત વ્યાજખોરોના આંતકના કારણે અનેક આબરુદર લોકો અપમૃત્યુ જેવા આકરા નિર્ણય લઈ રહ્યા છે.તેમ છતાં આવા લોકો માટે કોઈ કાયદાકીય પગલાં ભરવામાં આવતા નથી. જેના લીધે આવા તત્વોને છૂટો દોર મળી રહ્યો છે.
આવોજ એક બનાવ ડીસામાં બનતા પીડિત વેપારીએ ડીસા ઉત્તર પોલિસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલિસ પ્રાપ્ત વિગતો અનુસાર ડીસાના એલડી પાર્ક ખાતે રહેતા અને એયુ સ્મોલ ફાઈનાસ બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરતા ટીનુમલ દેવચદભાઈ ભરતીય ઉંમર ૩૫ વર્ષનાઓએ ડીસામાં રહેતા બારેક લોકો પાસેથી અવાર નવાર ઉછીના તેમજ વ્યાજે પેટે લાખો રૂપિયા લીધા હતા અને બાદમાં આ તમામને એક પછી એક તમામ રૂપિયા તેમને વ્યાજ સાથે ચૂકવી પણ દીધા હતા. તેમ છતાં આ લોકો દ્વારા અવાર નવાર રસ્તામાં અને ફોન ઉપર અમારા પૈસા પરત કેમ આપતા નથી. તેમ કહી ધમકીઓ આપી અવાર નવાર આ લોકો અપશબ્દો બોલતા હોઈ આ મામલે ટીનુમલ દેવચંદભાઈ ભરતીયાએ તમામ હકીકત પરિવારજનો જણાવી તારીખ ૩૦/ ૯ /૧૯ ના રોજ ડીસા ઉત્તર પોલિસ ફરિયાદ કરતા ઉત્તર પોલીસે આ મામલે કલમ ૨૯૪(બી), ૫૦૬ (૨), ૫૦૭, ૧૧૪ મુજબનો ગુનો નોંધી આ સમગ્ર પ્રકરણ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.