વિજયનગરમાં ગલ્લા બજાર હટાવવા ગ્રામ પંચાયતે નોટીસો ફટકારી

 
 
 
 
                        વિજયનગર બસ સ્ટેશન બનાવવાના નામે ગલ્લા બજાર હટાવવા ગ્રામ પંચાયતના નોટિસ આપવાના નિર્ણયથી ગલ્લા,કેબિનધારકો માં ફફડાટ વ્યાપ્પો છે. સાથે જ ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. સરપચ દ્વારા સભ્યોને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યાં ન હોવાનું જાણવા મળી રહુયું છે.
વિજયનગર ગ્રામ પંચાયત દ્વારા હાલમાં બસ સ્ટેશન અને ગ્રામ પંચાયતની સામેનું ગલ્લા બજાર હટાવી કાયમી દુકાનો બનાવવા અને ગ્રામ વિકાસ કરવા તેમજ નવું બસસ્ટેશન બનાવવા માટે એસટી વભાગને જમીન આપવા માટૅનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં આ ગલ્લા બજારના દુકાન માલિકોને ગ્રામ પંચાયત દ્વારા હટાવવા માટે નોટિસ આપવા હાથ ધરાઈ હોવાનું બહાર આવતા વેપારીઓ ધધો રોજગાર છીનવાઈ જવાની દહેશત ઉભી થઈ છે અને ગ્રામ પંચાયતના સરપંચ બાબુભાઇ વજાજી સિસોદિયા અને તલાટી ચદુભાઈ બદાજી ડામોરના  આ મનસ્વી નિર્ણય સામે ઉગ્ર રોસ વ્યાપ્પો છે.
આ નિર્ણય અને પચાયતના કેટલાક સભ્યોને પૂછતા તેમણે નામ નહિ આપવાની શરતો જણાવ્યું હતું કે આ અંગે અમને કોઈ આ અંગે સરપંચ બાબુભાઈ વજાજી જણાવેલ કે તમામ સભ્યોને સાથ રાખીને મિટીંગ કરેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.