અમદાવાદ: અડાલજ ખાતે આવેલા ત્રિમંદિરના પ્રાંગણમાં પરમ પૂજ્ય દાદા ભગવાનની 111મી જન્મ જયંતીની 11 દિવસ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે મંદિરની પાસે 35 લાખ સ્ક્વેર ફૂટમાં ‘ જોવા જેવી દુનિયા ‘ 15થી 25 નવેમ્બર, દાદાશ્રીના સિદ્ધાંતોને આવરી લેતા લગભગ 23 જેટલા ટોક-શો અને થિયેટર શોમાં કુલ 12 જેટલા શો ફક્ત બાળકો અને યુવાનોને આવરીને બતાવવામાં આવી રહ્યા છે. આ મહોત્સવમાં 500થી વધુ વિદેશી ભક્તો અડાલજના ત્રિમંદિરમાં દર્શનાર્થે પધારશે એવી ગણતરી રખાઈ છે ચાર દિવસમાં અત્યાર મોટી સંખ્યામાં લોકો‘જોવા જેવી દુનિયા’ને માણી ચૂક્યા છે. ત્યારે મંદિર પાસે તૈયાર કરાયેલી ‘જોવા જેવી દુનિયા’નો ડ્રોન નજારો.
જોવા જેવી દુનિયા’માં ‘થીમ પાર્ક’ માં ટેક્નોલોજી અને મલ્ટિમીડિયાના સમન્વયથી 4 D એક્સપિરિયન્સ, 3D પ્રોજેક્શન મેપિંગ, ઓડિયો-વિઝ્યુઅલ શો, વર્ચ્યુઅલ ટૂર, લાઈવ ડ્રામા, એક્ઝિબિશન અને વર્કશોપ જેવા માધ્યમો દ્વારા ‘ મૈં કૌન હું’, ‘કર્તા કૌન,’, ‘દાદા ભગવાન’, ‘વત્સલ્યમૂર્તિ નિરૂમા’, ‘ટૂર ટૂ મહાવિદેહ’ , ‘ દુનિયા દેખને કા સીધા ચશ્માં ’ જેવા શો પણ માણવા મળશે.
ત્રિમંદિરના પ્રાંગણમાં 32 લાખ ચો.ફૂટ.ના વિસ્તારમાં નવેમ્બર 15થી 25 સુધી ઊભી થનાર આ દુનિયામાં અમેરિકા, કેનેડા, યુ.કે., ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા, જર્મની, સ્પેન, સિંગાપોર જેવા દેશ-વિદેશમાં વસતા ભારતીયો અને વેસ્ટનર્સ પણ ભાગ લેશે. રોજેરોજ લગભગ 25,000 મુલાકાતીઓને ભોજન, તેમજ 12,500 વ્યક્તિઓને ઉતારો પૂરો પાડતા આ પ્રાંગણમાં 13,700થી પણ વધુ સેવાર્થીઓ સેવા આપશે.