આપણી હિન્દુ સંસ્કૃતિમાં લગ્નને સંસ્કાર તરીકે ગણવામાં આવે છે જેથી શુભ મુર્હતમાં લગ્ન લેવાની પરંપરા રહેલી છે વર્ષમાં આવા શુભ મુર્હતના માસ બહુ ઓછા આવે છે ત્યારે માગસર માસ શરૂ થતાં લગ્નોની સિઝન પણ ખુલી ગઈ છે જિલ્લામાં માગસર માસના પ્રથમ સપ્તાહમાં લગ્નના અનેક શુભ મુર્હત હોવાથી લગ્નોનું આયોજન થઈ રહ્યું છે જેથી બજારોમાં પણ લગ્નસરાની સિઝન જામી રહી છે.
જ્યોતિષચાર્યાના જણાવ્યા પ્રમાણે માગસર માસની સુદ ત્રીજ પાંચમ છઠ અને સાતમના શુભ મુર્હુત રહેલા છે ત્યારબાદ ૧૬ મી ડીસેમ્બરથી ઘનારક કર્મુરતા બેસી જતા હોય છે જેથી શુભ માંગલિક કાર્યો સહિત શુભ કાર્યો કરવામાં આવતા નથી. ત્યારે આ શુભ મુર્હત ને લઈ જિલ્લાભરમાં લગ્નસરાની પૂર બહાર મોસમ ખીલી ઉઠી છે. શહેરી વિસ્તારો સહિત હવે તો ગ્રામ્ય વિસ્તારમાં પણ માગસર માસમાં લગ્નો લેવાઈ રહ્યા છે. જેથી શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં બેન્ડવાજા સાથે વરઘોડા નિકળતાં જાવા મળી રહ્યા છે. લગ્નની સિઝન ખુલતાં મંડપ સહિત કેટર્સવાળાઓ બ્યુટી પાર્લરો કરીયાણાની દુકાનો કાપડ બજાર સહિતમાં ધરાકી ખુલી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને લગ્નોની સિઝનના પગલે તડાકો પડી રહ્યો છે.