ધાનેરામાં ગાય ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા જીવદયા પ્રેમીઓમાં રોષ

ધાનેરા શહેરમાં રખડતી ગાયો ઉપર હૂમલાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે એક ગાય ઉપર કોઈ અજાણ્યા નરાધમોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોચાડતા ચકચાર સાથે જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. જોકે, આ બાબતની થતા ગૌસેવકોએ ઈજાગ્રસ્ત ગાયની સારવાર કરાવી હતી. આ બાબતે ગૌ સેવા પ્રચાર સમિતિના પ્રમુખ કરશનજી બારોટે જણાવ્યું હતું કે, અસંખ્ય ગાયો પ્લાસ્ટિક કે ગંદો કચરો આરોગી મોતના મુખમાં ધકેલાય છે. ગાયો માટે પીવાના પાણીની કે ઘાસચારાની વ્યવસ્થા કરતી નથી. સરકારનું વારંવાર ધ્યાન દોરવા છતાં કોઈ પગલા લેવાતા નથી. ત્યારે ગાય ઉપર હુમલો કરનાર તત્વો સામે કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે.  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.