રાજય સરકારે ચોમાસું પાક જેમા બાજરીની ટેકાનાં ભાવે ખરીદીની જાહેરાત બાદ બનાસકાંઠામા ૨૫ દીવસ આગાઉ મંત્રી ૧૨ કેન્દ્ર ખુલ્લા મુક્યા હતાં અને ડીસા ખાતે મંત્રી દિલીપ ઠાકોર અને પરબત પટેલએ કેન્દ્રને ખુલ્લું મૂક્યું હતુ. જોકે પ્રથમ દિવસે બાજરીની ખરીદી કર્યા બાદ આજદિન સુધી બારદાન નાં અભાવે ખરીદી થઈ નથી ડીસા મા નોંધણી થયેલ ખેડુતો પણ આજે ટેકાનાં ભાવે બાજરી વેચી સકયા નથી. તો અધિકારીએ બારદાન પ્રિન્ટિંગ માંથી હજુ આવ્યાં નથી હોવાની કબૂલાત કરી હતી.
રાજય સરકાર દ્રારા કેટલાંક પાકો ટેકાનાં ભાવે ખરીદીની જાહેરાત બાદ આજે બનાસકાંઠામા ડીસા ખાતે બાજરી ખરીદી માટે કેન્દ્ર શરૂ કરાયું છે. આ કેન્દ્ર ને ખુલ્લું મુકવા કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર, રાજય મંત્રી પરબત પટેલ હાજર રહ્યાં હતાં. જોકે મહત્વની વાત યે છે કે મંત્રીએ ખરીદ કેન્દ્રને ૧૭ ઓકટામબરનાં ખુલ્લું મુકેલ જેને આજે ૨૫ દીવસ વીતી ગયા પરન્તુ બારદાન ન આવવાનાં કારણે બાજરીની ખરીદી થઈ સકી નથી હાલ ડીસામા પુરવઠા ગોડાઉન પર ૧૧૪ ખેડૂતએ નોંધણી કરાવી છે તો કેટલાક બારદાન ન હોવાના કારણે ખરીદી ન કરતા નોંધણી કરાવવાનું ટાળ્યું છે ત્યાંરે બારદાન ન આવવા પાછળનું કારણ શુ તેં પુરવઠા અધિકારી એમ આઈ અસારી ને પૂછતાં તેઓ બારદાન ન હોવાનું જણાવ્યું હતુ સાથે પ્રિન્ટીંગ માંથી બારદાન આવ્યાં બાદ ખરીદી કરવાની વાત કરી હતી.
એક તરફ સરકાર ટેકા નાં ભાવ જાહેર કરે છે. તો બીજી બાજુ બારદાન ન હોવાના કારણે ૨૫ દિવસથી ખરીદી થઈ સકતી નથી. જેનાં કારણે સરકારની આ યોજના માત્ર ખેડુતોને મૂર્ખ બનાવવા પુરતી સાબીત થઈ છે. જોકે બારદાન ક્યારે આવશે તો તેં નક્કી નથી. પંરતુ ખેડુતો પોતાનો માલ વેચ્યા બાદ બારદાન આવે અને ખરીદી કરે તો ગેરનીતિની શંકા નકારી સકાતી નથી.