મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ચીફ ઓફિસર સામે ફરિયાદ : ૨૪મીએ સુનાવણી

પાલનપુર : જિલ્લા મુખ્યાલય પાલનપુર સહીત જિલ્લાભરમાં ડેન્ગ્યુ સહિતનો રોગચાળો વકર્યો છે. ત્યારે રોગચાળાને નાથવામાં નાકામ રહી ફરજ પરત્વે નિષ્કાળજી દાખવનારા જિલ્લાના ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી ડા.સંજય શાહ અને પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર વિરુધ્ધ સી.આર. પી.સી.૧૩૩ મુજબ ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી છે. પાલનપુરના પંચશીલ સોસાયટીમાં રહેતા જગદીશ ચૌધરી નામના વેપારીએ પાલનપુરના એસ.ડી.એમ. સમક્ષ લેખિત ફરિયાદ આપી છે. જેમાં  પાલનપુરમાં બંને રાજ્યસેવકો નિષ્ક્રિય રહેતાં રાગચાલા "જાહેર દૂષણ" બન્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે.
આ "જાહેર દૂષણ" થી ગઠામણ ખાતે ૧૪ વર્ષીય બાલકી દક્ષા ઠાકોર નુ ડેંગ્યુ થી મોત થયું હોઈ પાલનપુરમાં આ બંને રાજ્યસેવકોની નિષ્ક્રિય તાથી વકર્યો હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે. પાલનપુર શહેરમાં શંકાસ્પદ ડેંગ્યુ, વાયરલ ફીવર અને મલેરિયાના ૩૦૦૦ થી વધુ દર્દીઓ સામે આવ્યા છે. ઘેર- ઘેર માંદગીના ખાટલા માટે જવાબદાર બંને રાજ્યસેવક એવા ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી એસ.જે. શાહ અને પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટ સામે પાલનપુર ના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ સી.આર.પી. સી. કલમ ૧૩૩ ફરિયાદ આપતા ચકચાર મચી જવા પામી છે. જેની આગામી ૨૪ સપ્ટેમ્બર ના રોજ વધુ સુનાવણી થશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.