રાધનપુર
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુરુવારે વલસાડથી રાજ્યના અલગ-અલગ તાલુકાઓ અને જિલ્લાઓમાં બનાવાયેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં લાભાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો,જેના પગલે રાધનપુર તાલુકાના ધરવડી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૪૫ મકાનોમાં લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવાયો હતો.આ પ્રસંગે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેશભાઈ ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી આર. એચ. ચૌધરી,સરપંચ તેમજ તાલુકા પંચાયતના આઈ. આર.ડી. શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ગ્રામજનોએ પણ વિશેષ પ્રમાણમાં હાજરી આપીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વલસાડથી પ્રસારીત કરાયેલ લાઈવ સેટકોમ પ્રોગ્રામ માણ્યો હતો.તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેશભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ આવાસ યોજના હેઠળ અગાઉ લાભાર્થીને સિત્તેર હજાર રૂપિયા મળતા હતા,જયારે નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ આ યોજના હેઠળ રૂ. ૧૨૦૦૦૦ તથા મજૂરના રૂ. ૧૬૦૨૦ તથા શૌચાલયના રૂ. ૧૨૦૦૦ મળીને કુલ રૂ. ૧૪૮૦૦૦ મળે મળે છે.