તેલંગાણાના નાલગોંડામાં એક યુવકની હત્યા મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકના સસરાએ 10 લાખ સોપારી આપીને જમાઈની હત્યા કરાવી દીધી છે. મૃતક પ્રણયે 6 મહિના પહેલાં સવર્ણ જાતીની અમૃથા સાથે લગ્ન કર્યા હતા તેના કારણે અમૃથાના પરિવારજનો નારાજ હતાં. હાલ પોલીસે અમૃથાના પિતા મારુતિ રાવ, ભાઈ શ્રવણ કુમારની સાથે સાથે અન્ય 3 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
ત્રણ દિવસ પહેલાં મૃતક પ્રણય જ્યારે તેની પ્રેગ્નેન્ટ વાઈફને લઈને હોસ્પિટલ ગયો હતો ત્યારે જ તેની પાછળથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રણય જમીન પર પડી ગયો હતો અને તેની પત્ની અમૃથા લોકો પાસે બુમો પાડી પાડીને મદદ માગી રહી હતી, પરંતુ ત્યાં સુધી પ્રણયનું મોત થઈ ચૂક્યું હતું. અમૃથાએ તેના નિવેદનમાં પિતા પર ઓનર કીલિંગની શંકા વ્યક્ત કરી છે. પોલીસ તપાસમાં ખબર પડી છે કે, સસરાએ જ તેમના જમાઈની હત્યા માટે રૂ. 10 લાખની સોપારી આપી હતી. પોલીસ ધરપકડ પછી પિતાએ કહ્યું છે કે, તેમને આ હત્યાનો કોઈ અફસોસ નથી. પિતાએ કહ્યું છે કે, તેમના માટે દીકરી કરતાં તેમનું પોતાનું સન્માન વધારે જરૂરી છે.
ત્રણ મહિનાની પ્રેગ્નેન્ટ અમૃથાએ કહ્યું છે કે, તે તેના પતિની હત્યા પછી તેના પિતાના ઘરે પરત નહીં જાય. તે બાકીનું જીવન તેના સાસુ-સસરા સાથે રહીને જ પસાર કરશે.