મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં ગણેશ ચતુર્થીની ભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે લાખણીના વતની અને ફિલિપાઈન્સમાં એમ.બી. બી.એસ.નો અભ્યાસ કરતા વાઘેલા ભવાનીસિંહ અને અને તેમના સાથી સહાધ્યાયીઓ દ્વારા ભાદરવા સુદ -૪ના રોજ ગણપતિની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી અને દરરોજ પૂજા અર્ચના સાથે આરતી પણ કરવામાં આવતી હતી. બાદમાં ભાદરવા સુદ-૧૪ના રોજ સોન્તોડોમિન્ગો રિયલ બીચ રિસોર્ટમાં ગણપતિજીની મૂર્તિનું ભાવવાહી માહોલમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે "ગણપતિ બાપ્પા મોરિયા"ના નારાથી વાતાવરણ ગુંજી
ઉઠ્યું હતું.
આ ગણેશ મહોત્સવમાં લાખણીના વતની અને ફિલિપાઈન્સમાં એમ.બી.બી. એસ.નો અભ્યાસ કરતા ભવાનીસિંહ વાઘેલા (લાખણી) અને તેમના સાથી મિત્રો સુરેશ દવે, વૃષભ પટેલ, કરણ ઠક્કર, જીગર પઢિયાર, પૂજા ડોડીયા, મેઘલ જોબનપુત્ર, ત્રીથ ઠક્કર, નીલ પટેલ, ઉમેશ પ્રજાપતિ, અજય ખેર, નિરલ પટેલ,હર્ષ પટેલ, મોનિક મોરાડીયા, અને કલ્પેશ પંચાલ સહિત મોટી સંખ્યામાં એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ જોડાયા હતા.વિદેશીઓએ પણ તેમની સંસ્કૃતિને બિરદાવી હતી. આમ વતનથી દૂર રહીને પણ તેમણે ધર્મ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા અકબન્ધ જાળવી રાખી દેશનું ગૌરવ વધાર્યું છે.