વાવ : વાવ ગતરોજ તા.૬/૬/ર૦૧૯ ના રોજ બનાસકાંઠા જીલ્લાના સાંસદ પરબતભાઈ પટેલે થરાદ બેઠક ઉપરથી ધારાસભ્ય પદનું રાજીનામું અધ્યક્ષને આપ્યું હતું. ત્યારબાદ વાવ થરાદ વિસ્તારમાં રાજકીય ગરમાવો સતેજ બન્યો છે. જાકે વાવ થરાદ વિસ્તારના કાર્યકરો ને એકી સાથેના બુલંદ આવાજ છે કે થરાદ બેઠક ઉપર ભાજપની ટિકીટ શંકરભાઈ ચૌધરીને મળે જાકે થરાદ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે શંકરભાઈ ચૌધરીની ટીકીટ પાકી છે. માત્ર જાહેરાતની ઔપચારીકતા જ બાકી છે. હાલની પરિÂસ્થતિ જાતા ભાજપના ઉમેદવાર પાસે પટેલ, બ્રહ્મ અને ઈતર સમાજના ત્રણ પાસા મજબુત છે. આ વખતે થરાદ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી માવજીભાઈ પટેલને ટીકીટ આપે તેવી વધુ શક્યતાઓ જણાઈ રહી છે. કારણ કે લોકસભાની ચૂંટણીમાં હાઈકમાન્ડે માવજીભાઈ પટેલનું સસ્પેનશન રદ કરી કોંગ્રેસમાં પ્રવેશ આપતી વખતે થરાદ બેઠકની કોંગ્રેસની ટીકીટ માટેનો સોદો નક્કી થઈ ચુક્યો છે. જાકે કોંગ્રેસ પાર્ટી માવજીભાઈ પટેલને ટીકટની ફાળવણી કરેતો ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચોધરીને રાજપુત સમાજ તરફથી વધુ મતો મળી શકે તેમ છે. ર૦૧૯ ની વિધાનસભાની થરાદ બેઠક ઉપર ર લાખ મતદારોનું સંખ્યાબળ ધરાવતી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર માટે વિજયની તકો બહુ ઉજળી જણાઈ રહી છે. થરાદ બેઠક ઉપર શંકરભાઈ ચૌધરીની ટીકીટ તેમનો વિજય અને મંત્રી મંડળમાં તેમનું સ્થાન આ ત્રિવેણી સંગમ જાતાં વાવ થરાદ પંથક માટે એક સોનેરી સુરજ ઉગશે તેવા સંકેતો જણાઈ રહ્યા છે. વાવ - થરાદ પંથક વિકાસની દૃષ્ટિએ વેગવંતો બની ર૦ર૦ ની સાલમાં થરાદને જિલ્લનો દરજ્જા મળી જશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજકીય વિશ્લેષકોની નાડ પારખવામાં અગ્રેસર રહેતા ‘રખેવાળ’ દૈનિકની આજદીન સુધીની તમામ આગાહીઓ અને અહેવાલ સચોટ પુરવાર થયો છે. દીવાળી પહેલા વાવ થરાદ વિસ્તારના ભાજપના કાર્યકરો ભાજપને જીતની દીવાળીના મહાપર્વમાં ફટાકડાઓ ફોડી મીઠાઈની વહેચણીઓ કરી વિજયનો જશ્ન બનાવશે.