નર્મદાની જળસપાટીમાં અવિરત વધારો

 
મધ્યપ્રદેશમાં ભારે વરસાદના લીધે આવક વધતા સપાટી ૧૧૧.૩૦ મીટરે પહોંચી
 
અમદાવાદ, તા. ૧૭ : ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પરિણામ સ્વરુપે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમની  જળસપાટીમાં વધારો થતાં લોકો પણ પહોંચી રહ્યા છે. ડેમની જળસપાટી છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ૧૧૧.૩૦ મીટરે પહોંચી ગઈ હતી. અવિરત વરસાદના પરિણામ સ્વરુપે પાણીની આવક વધી રહી છે. જળસપાટી દરકલાકે  ત્રણથી ચાર સેન્ટીમીટર વધી રહી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ૧૨ કલાકમાં જ જળસપાટી ૩૨ સેન્ટીમીટરથી વધારે વધી ગઈ છે. અગાઉ આવક ૪થી પાંચ હજાર ક્યુસેક હતી જે વધીને હવે ૬૭૪૭ સુધી પહોંચી છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે નર્મદા ડેમમાં પાણીની આવક વધી  રહી છે. ડેમની જળસપાટીમાં વધારો થતાં ખેડૂતોમાં પણ આનંદનું મોજુ ફરી વળ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.