શંખેશ્વર તાલુકાના પંચાસર ગામ અને વડગામ વચ્ચે દિયોદર આણંદ બસને ત્રિપલ અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં વેગેનાર ગાડીના ડ્રાયવરના બંને પગ કપાઈ ગયા હોવાથી અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો તથા બાકીના મુસાફરોને પાટડી, દસાડા અને શંખેશ્વર હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના સ્થળે એસ.ટી.કર્મચારીઓ તથા દસાડા પોલીસ ઈન્ચાર્જ દેસાઈ પહોંચી ગયા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.