સાલપુરા-સણાદર પાસે અકસ્માત એકનું મોત બે ઘાયલ

દીઓદર તાલુકાના યાત્રાધામ સણાદર નજીક આવેલ સાલપુરા ગામે પરિવારનો બાળક બિમાર  થઈ જતાં દવાખાને લઈ જઈ રહેલાઓની ગાડી કહેવાય છે કે કુતરુ આડુ નિકળતાં ગાડી ઝાડ સાથે ટકરાતાં ગાડીમાં બેસેલ ભુરાજી વાધાજી ઠાકોર (ઉવ.૪પ) રે.સાલપુરા નું અવસાન થવા પામેલ. જ્યારે અન્ય ઘાયલ થયેલાઓમાં મૃતકનો પુત્ર સેંધાજી ભુરાજી ઠાકોર તથા સણાદર ગ્રા.પં.ના સરપંચ ભેમાજી બાબુજી ઠાકોરનો સમાવેશ થવા પામેલ. ઘટનાની જાણ થતાં પરિવાર જનો દોડી આવેલ. ઘાયલોનો ૧૦૮ દ્વારા દીઓદર રેફરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ. જ્યાંથી વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવેલ. આમ આજે દીઓદરમાં અકસ્માતતો વણઝાર સર્જાતા પ્રજાજનોમાં ભયની લાગણી છવાયેલ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.