ધાનેરામાં બે બંધ મકાનના તાળાં તુટ્યાં

 

ધાનેરામાં આવેલ ધાખાના દરવાજે શાન્તીલાલ પોપટલાલ મહેતા તથા ભરતભાઈ મુળચંદભાઈ ગાંધીના બંધ મકાનોના તાળા તોડી મોટી રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળે છે. 
આ બાબતે મકાન માલિકો મુંબઈથી ધાનેરા આવવા રવાના થઈ ગયા છે. જેમાં ફોન દ્વારા વાતચીત દરમ્યાન મંદિરમાં માતાજીનું ચાંદીનું ઝુમર ચાંદીનું તોરણ, ડાયમંડ તથા કેશ રોકડ પડી હતી જે રૂબરૂ આવ્યા બાદ ખબર પડે. 
ધાનેરા પોલીસે આવી મકાનની તલાસી લઈ વધુ માહિતી મકાન માલિક આવ્યા બાદ કેટલી ચોરી થઈ છે. તેની વિગતો મેળવી ડોગ સ્કોડ તથા એફએસએલની ટીમ બોલાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.