ડીસા ગત મંગળવારે અખાત્રીજના પવિત્ર દિવસે અનેક શુભકાર્યો સંપન્ન થયા હતા ત્યારે ડીસા ખાતે પણ જાણીતા સેવાભાવી એÂન્જનિયર વિજયભાઈ સુથારની નવીન ઓફિસ આદિત્ય એÂન્જનીયરનું ઉદ્ઘાટન કરાતાં મોટી સંખ્યામાં શુભેચ્છક મિત્રો, સ્નેહીજનો, પરિવારજનોએ ખાસ ઉપÂસ્થત રહીને વિજયભાઈ સુથાર તેમજ ઘનશ્યામભાઈ સુથારને શુભ કામનાઓ પાઠવી હતી.
આબુરોડ ખાતે નવનિર્માણ પામેલ જલારામ મંદિરમાં સળંગ ત્રણ મહિના સુધી વિનામૂલ્યે સેવાભાવથી અમૂલ્ય સેવા આપનાર વિજયભાઈ સુથારનું અખાત્રીજના પવિત્ર દિવસે તેમના નવીન કાર્યાલય ખાતે સન્માનપત્ર, સાલ, ફુલહાર અને પૂજ્ય જલારામબાપાના ફોટાથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર અને ડીસા જલારામ મંદિરના પ્રમુખ કનુભાઈ આચાર્ય, આબુરોડ અને ડીસા જલારામ મંદિરાના સેવકો ભગવાનભાઈ બંધુ, મહેશભાઈ ઉડેચા, ઓશો રજનીશ આશ્રમના હરેશભાઈ ઠક્કર, વૈભવ બીલ્ડીંગ મટેરીયલ્સના હિતેશભાઈ અખાણી સહિત સૌ કોઈએઉપÂસ્થત રહીને વિજયભાઈ સુથારનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.