ખાદ્યપદાર્થમાં ભેળસેળ મામલે ડીસાના વેપારીને ૪.૨૦ લાખ રૂપિયાનો દંડ
રખેવાળ ન્યુઝ, પાલનપુર : બનાસકાંઠાના વેપારી મથક ડીસા શહેરમાં આવેલ એક ટ્રેડિંગ કંપની માંથી ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા સોયાબીન તેલ. મસ્ટડ ઓઇલ અને રિફાઇન તેલ ના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ પરીક્ષણમાં ફેઈલ થતા નાયબ કલેકટર સમક્ષ કેસ ચાલ્યો હતો. જેમાં ભેળસેળ અને અખાધ ચીજ વસ્તુ ના વેચાણ મામલે વેપારી ને રૂ.૪.૨૦ લાખનો દંડ ફટકારવા માં આવ્યો છે જેને લઇ ખાદ્ય પદાર્થ ની ચીજ વસ્તુ માં ભેળસેળ કરતા તેલીયારાજા ઓ માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
વેપારી મથક ડીસામાં કેટલાક વેપારીઓ દ્વારા ખાદ્ય પદાર્થોમાં મિલાવટ કરવામાં આવતી હોવાની ફરીયાદોને લઈ પાલનપુર ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા તા.ફેબ્રુઆરી ૨૦૧૯ માં ડીસા શિવધામ સોસાયટી પાછળ આવેલ જગનાથ ટ્રેડિંગમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને અમૃત પ્રેમ સોયાબીન તેલ, સુપર વાઘ મસ્ટડ ઓઇલ, લક્ષ્મી મસ્ટડ ઓઇલ અને સાવિત્રી કાઠીયાવાડી રિફાઇન તેલના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલને વડોદરા ખાતે પરીક્ષણમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં પરીક્ષણમાં સેમ્પલ ફેલ થતા તેલમાં મિલાવટ મામલે નિવાસી અધિક કલેકટરની કોર્ટમાં કેસ ચાલતા ડીસાની જગનાથ ટ્રેડિંગ કંપનીમાં માલીક મહેશકુમાર અમૃતલાલ પંચીવાલાને ચાર સેમ્પલ દીઠ રૂ.૧.૦૫ લાખ લેખે રૂ.૪.૨૦ લાખનો દંડ કરવામાં આવ્યો છે. જેને લઈ ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
બોક્ષઃ- ભેળસેળ મામલે અગાઉ સાત કેસમાં ૧૧.૪૬ લાખ નો દંડ કરાયો હતો. પાલનપુરના અધિક નિવાસી કલેકટર બાભણીયા દ્વારા એક માસ અગાઉ જિલ્લામાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવેલ સેમ્પલ ફેઈલ જતા ખાદ્ય પદાર્થમાં ભેળસેળના જુદાજુદા ૭ જેટલા કેસોમાં વેપારીઓને રૂ. ૧૧.૪૬ નો દંડ કરવામાં આવ્યો હતો.